રાજ્યપાલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાનં.૯૩ ના આચાર્ય વનિતા રાઠોડને એનાયત થયો હતો

 

રાજકોટ,

તા.૭/૯/૨૦૨૦ ના ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે, શિક્ષણ સચિવ વિનોદ રાવ, અંજુ શર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષક દિવસ નિમિત્તે ગાંધીનગર નર્મદા હોલ ખાતે રાજ્યપાલના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાનં.૯૩ ના આચાર્ય વનિતા રાઠોડને એનાયત થયો હતો. આ પૂર્વે તેમનું પ્રેક્ષા ભારતી ખાતે સચિવ નૂતનબેન રાવલના હસ્તે પણ સન્માન કરાયું હતું. વનિતા રાઠોડને રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, શાસનાધિકારીએ અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment